ફાયર-ફાઇટરની ટીમે કેનાલમાંથી બંને લાશને બહાર કાઢી
થરાદની મુખ્ય કેનાલમાંથી લાશો મળવાનો સીલસીલો યથાવત્ત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરુવારે વામી નજીકના સાઇફન કેનાલમાં 2 લાશ તરતી જોવા મળી હતી.
જેથી લોકોએ ફાયર-ફાઇટરને જાણ કરી હતી. ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી કેનાલમાંથી બંને લાશને બહાર કાઢી હતી. આ અંગે થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના સરહદી થરાદ કેનાલમાંથી લાશો મળવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.
ત્યારે ગુરુવારે વામી નજીક સાઇફન કેનાલમાં 2 લાશ તરતી જોવા મળી હતી. કેનાલના પાણીમાં તરતા બંને મૃતદેહોને જોઇ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
ફાયર-ફાઇટરની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. કેનાલમાં તરતી લાશને ફાયર-ફાઇટરની ટીમની મદદથી બહાર કાઢવામાં આવી હતી. પોલીસે બિનવારસી મૃતદેહ કબજે લઇ તેની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.
From-Banaskantha update