યુવકના મોતને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા : પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને ગટરના ગંદા પાણીમાંથી બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી
દાંતાના ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલા ગટરના પાણીમાં રતનપુરના એક યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. સોમવારે મળી આવેલ શખ્સને લઇ અનેક તર્ક-વિતર્કો પ્રજામાં ઉઠવા પામ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, દાંતાના ઇન્દીરાનગર વિસ્તારમાં આવેલા ગામની મુખ્ય ગટર લાઇનના સંપ નજીક સોમવારે વહેલી સવારે કોઇ યુવકનો મૃતદેહ પડયો હોવાની જાણ દાંતા પોલીસને થઇ હતી.
સોમવારે સવારે બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને ગટરના ગંદા પાણીમાંથી બહાર કાઢી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યાં મરણ જનાર યુવક દાંતા નજીકના રતનપુરનો ધર્માભાઇ કોદરભાઇ સેનમા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, યુવકના મોતને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
From-Banaskantha update