કિયાલ લગ્ન લઇને આવેલા પરિવારને અક્સ્માત નડયો
ધાનેરાના ખેડાથી રવિવારે થરાદના કિયાલમાં એક પરિવાર લગ્ન લઇને આવ્યો હતો. જેમની જીપને પરત ફરતી વખતે થરાદ-ધાનેરા હાઇવે પર અકસ્માત નડતાં એક કિશોરનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ખુશીનો પ્રસંગ ગમગીનીમાં પ્રસરી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના ખેડા ગામથી ઠાકોર પરિવાર થરાદના કિયાલ ગામમાં લગ્ન લઇને આવ્યો હતો અને રવિવારે લગ્નવિધી પતાવીને પરત જઇ રહ્યો હતો.
આ વખતે થરાદ-ધાનેરા હાઇવે પર અગમ્ય કારણોસર જીપ પલ્ટી ખાઇ ગઇ હતી. આથી તેમાં બેઠેલા પૈકી કિશોરનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે 4-5 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.
જેમને સારવાર અર્થે ધાનેરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પળવારમાં લગ્નની ખુશીનો માહોલ ગમગીનીમાં પ્રસરી ગયો હતો. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.
From-Banaskantha update