થરાદ નજીક જીપ પલ્ટી ખાતાં ખેડાના કિશોરનું મોત

- Advertisement -
Share

કિયાલ લગ્ન લઇને આવેલા પરિવારને અક્સ્માત નડયો

ધાનેરાના ખેડાથી રવિવારે થરાદના કિયાલમાં એક પરિવાર લગ્ન લઇને આવ્યો હતો. જેમની જીપને પરત ફરતી વખતે થરાદ-ધાનેરા હાઇવે પર અકસ્માત નડતાં એક કિશોરનું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે ખુશીનો પ્રસંગ ગમગીનીમાં પ્રસરી ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ધાનેરા તાલુકાના ખેડા ગામથી ઠાકોર પરિવાર થરાદના કિયાલ ગામમાં લગ્ન લઇને આવ્યો હતો અને રવિવારે લગ્નવિધી પતાવીને પરત જઇ રહ્યો હતો.

 

આ વખતે થરાદ-ધાનેરા હાઇવે પર અગમ્ય કારણોસર જીપ પલ્ટી ખાઇ ગઇ હતી. આથી તેમાં બેઠેલા પૈકી કિશોરનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત નિપજ્યું હતું. જ્યારે 4-5 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી.
જેમને સારવાર અર્થે ધાનેરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પળવારમાં લગ્નની ખુશીનો માહોલ ગમગીનીમાં પ્રસરી ગયો હતો. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!