શિહોરી-થરા હાઈવે પર આવેલ વડા નજીક વેગેનર ગાડીના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વેગેનર ગાડી પલટી મારતા અકસ્માતમાં એક જ પરિવારના લોકો વેગેનર ગાડીમાં સવાર હતા જેમાં કાર પલટી ખાતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા તેમજ ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108ની ટીમને જાણ કરાતા 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેમજ થરાદ પોલીસને જાણ કરાતા થરા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થતાં તેમના મૃતદેહને પીએમ અર્થે ખસેડી થરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં વેગેનર ગાડીમાં સવાર એક જ પરિવારને અકસ્માત નડયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થતા પરિવાર પર આભ તૂટ્યું હતું.
From – Banaskantha Update