ધાનેરા તાલુકાના માલોત્રા ગામે આવેલ શ્રી વડેચી ગૌશાળામાં શુક્રવારે સાંજના સમયે અચાનક ગાયો મરવા લાગતા ગૌશાળામાં હાજર રહેલ લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો અને જોત જોતામાં 24 જેટલી ગાયો મરી જવા પામી હતી. પશુ ડોક્ટરોને જાણ કરાતાં તાત્કાલીક આવી જતાં 40 જેટલી ગાયોને બચાવી લેવામાં આવી હતી અને આ ગાયો મરવા પાછળનું કારણ લીલો ઘાસચારો આરોગવાથી ફૂડ પોઇઝન થયું હોવાનું જણાવ્યું હતું.