સ્વચ્છતા અભિયાનનું સૂરસૂરીયું : કરોડોનો હીસાબ પણ વાસ્તવમાં અનેકો અધૂરા રૂપિયા ચૂકવ્યા : જયારે અમુક માત્ર કાગળ પર સ્થળ પર કશું નહીં
બનાસકાંઠા જીલ્લામાં શૌચાલય કૌભાંડ ખરેખર શરમજનક છે. આ કૌભાંડમાં કાગળ પર બનેલા શૌચાલય ખરેખર અસ્તિત્વમાં જ નથી.
ત્યારે આખરે જનતાએ જાગૃત બનીને આ અંગે જીલ્લા વિકાસ અધિકારી લેખિતમાં ફરિયાદ કરતાં જીલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં બનેલા શૌચાલય તપાસના આદેશ આપ્યા છે.
કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય અને વ્યક્તિગત શૌચાલય બનાવવામાં ગુજરાત દેશમાં મોખરે હોવાની ગુલબાંગો પોકળ પૂરવાર થઇ રહી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં શૌચાલય બનાવવાની આ કામગીરીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં તંત્ર સફાળુ જાગ્યું છે.
અને ગેનાજી ગોળીયા ગામમાં બનેલા શૌચાલયના તપાસના આદેશ અપાયા હતા. એટલું જ નહીં તપાસમાં ગેરરીતિ જણાતાં જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની પણ જીલ્લા વિકાસ અધિકારીએ સુચના આપવાની ફરજ પડી છે.
આ આદેશને પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ અને સખી મંડળના કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જેના પગલે ગુરૂવારે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં તા. 3 જૂનના રોજ જીલ્લા વિકાસ અધિકારીની વિઝીટ કરવાની હોઇ જેના પગલે તમામ કૌભાંડ છૂપાવવા સરપંચ, તલાટી અને સખી મંડળના સંચાલક શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરી હોવાના સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યાં હતા.
કેન્દ્ર સરકારે જાહેરમાં શૌચાલયની પ્રવૃત્તિ અટકાવવા માટે દરેક રાજ્યોને 100 ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી.
જે અંતર્ગત ગુજરાત સરકારને પણ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી પરંતુ સરકારની યોજનાઓમાં મોટા ભાગે થતું હોય તેમ પણ આ યોજનાના કરોડો રૂપિયા આવ્યા હતા.
પરંતુ હજારો ગામડાંઓમાં કાગળ પર જ શૌચાલય બતાવીને રૂપિયા ચાઉં કરી જવાયા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.
સરકાર દ્વારા વ્યક્તિગત શૌચાલય બનાવવા માટે રૂ. 12,000 માતબર રકમ આપવામાં આવે છે. પરંતુ અહીં તો માત્ર સખી મંડળ રૂ. 5,000 અને રૂ. 7,000 આપી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
ત્યારે ગેનાજી ગોળીયા ગામમાં એક પરિવારના જૂદા-જૂદા સભ્યોના અલગ ઘર દર્શાવીને 138 શૌચાલય દર્શાવાયા હતા.
જેમાં મોટાભાગના બન્યા નથી અને અમુકને બારોબર ઉચક ચૂકવણી કરી હોવાના લાભાર્થીઓ જણાવી રહ્યા છે.
ત્યારે સ્થાનિક લોકોએ જીલ્લા વિકાસ અધિકારી જોડે તમામ આધાર પૂરાવા સાથે રજૂઆત કરતાં કેટલાંક કિસ્સામાં તો એક પરિવારના જૂદા-જૂદા સભ્યોના અલગ ઘર દર્શાવીને શૌચાલય દર્શાવાયા છે. જેમાં મોટાપાયે ખાયકી આચરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
From-Banaskantha update