ડીસામાં વાસણાના ગ્રામજનોએ શ્રી રામ મંદિર નિર્માણમાં 10.11 લાખનું દાન

- Advertisement -
Share

ડીસા તાલુકાના વાસણા (જુનાડીસા)ના ગ્રામજનોએ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિમાઁણ નિધિમાં પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનોએ પણ ઉદાર હાથે દાનની સરવાણી વહાવતા રૂપિયા 10.11 લાખનું દાન એકત્ર થયું હતું.

 

 

શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે. જેમા દેશભરના લોકો યથાશક્તિ યોગદાન આપે તે માટે નિધિ એકત્ર કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના વાસણા (જુનાડીસા) ગામના લોકો પણ શ્રી રામ મંદિર નિર્માણ નિધિમા દાન આપે તે માટે વાસણા દુધ મંડળીના ચેરમેન પોપટભાઇ ભરવાડ તેમજ મંત્રી રસીકભાઇ જોષી સહિત ગ્રામજનોએ નિધિ એકત્ર કરી હતી.

 

 

વાસણા ગામના પશુપાલકો, ખેડૂતો અને ગ્રામજનોએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવતા રૂપિયા 10,11,386 નું દાન બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી અને તાલુકા કાર્યવાહક ડૉ. ઇશ્વરભાઇ ચૌધરીને સુપ્રત કરવામાં આવ્યું હતું.

 

 

આ અંગે મંત્રી રસીકભાઇ જોષીએ જણાવ્યું હતું કે “શ્રી રામ મંદિર નિર્માણમાં ગ્રામજનોએ દાનનો ધોધ વહાવતા રૂપિયા 10 લાખ ઉપરાંતનું દાન એકઠું કરવામાં આવ્યું છે.”

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!