અમીરગઢ-ધનપુરા પાટીયા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં 2 લોકો ઘાયલ

- Advertisement -
Share

અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા : પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફીક નિયંત્રણ કરાવ્યું

 

અમીરગઢ તાલુકાના ધનપુરા પાટીયા નજીક નેશનલ હાઇવે પર ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

અકસ્માતમાં 2 લોકોને ઇજાઓ પહોંચતાં 108 વાન દ્વારા તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવના પગલે અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. મંગળવારે ડીસાના ઓવરબ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નિપજ્યા હતા.

ત્યારે બુધવારે અમીરગઢ તાલુકાના ધનપુરા પાટીયા નજીક નેશનલ હાઇવે ઉપર ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ હાઇવે પર ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા.
અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ અમીરગઢ પોલીસને જાણ કરતાં અમીરગઢ પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઘાયલોને 108 વાન દ્વારા તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડી ટ્રાફીક નિયંત્રણ કરવાના પ્રયાસો હાથ ધર્યાં હતા.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!