થરાદમાં ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરીયામાં સમાવવા અને સુજલામ્‌-સુફલામ્‌માં પાણી છોડવા મુદ્દે બાઇક રેલી યોજાઇ : પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

થોડા સમય અગાઉ ખેડૂતોએ મલાણાથી પાલનપુર સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી : જીલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઉતરવું પડે છે

 

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે પાણીની સમસ્યા કંઇ નવી નથી. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે, રણ વિસ્તારમાં કેનાલો તો બનાવી છે.
પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી. બીજી તરફ પહાડી વિસ્તારોમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે.
પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. થોડા સમય અગાઉ ખેડૂતોએ મલાણાથી પાલનપુર પહોંચી કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરી હતી.
જ્યારે સોમવારે થરાદના ખેડૂતોએ 97 ગામને નર્મદા કમાન્ડ એરીયામાં સમાવવા અને સુજલામ્‌-સુફલામ્‌માં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી બાઇક રેલી યોજી છે. જે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.

સરહદી પંથકના થરાદમાં પાણીની વિકટ સમસ્યાને લઇ ખેડૂતો ફરી આંદોલન પર ઉતર્યાં છે. રાહથી થરાદ સુધી ખેડૂતોની મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી છે.
બાઇક રેલી બાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની માંગ છે કે, 97 ગામને નર્મદાના કમાન્ડ એરીયામાં સમાવવા આવે અને સુજલામ્‌-સુફલામ્‌ કેનાલમાં પાણી છોડવામાં આવે. જો આમ નહીં કરવામાં આવે તો ખેડૂતો ચૂંટણીનો બહીષ્કાર કરી શકે છે.

 

બનાસકાંઠા જીલ્લામાં પાણી માટે વારંવાર જગતના તાતને રસ્તા પર ઉતરવું પડે છે. જેમાં થોડા સમય અગાઉ મલાણા તળાવ ભરવાને લઇ 10,000 જેટલાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ત્યારબાદ વડગામ તાલુકાના કર્માવદ અને મુક્તેશ્વર ડેમ ભરવાની લઇ 20,000 થી વધુ ખેડૂતો પાલનપુરમાં 2 કિ.મી.ની પદયાત્રા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ડેમો ભરવાની લઇને રજૂઆત કરી હતી. જ્યારે હવે થરાદ પંથકના ખેડૂતોને રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!