એક કહેવત છે કે જેનો રોટલો ખાધો એની સાથે જ ગદ્દારી એટલે કે જ્યારે વ્યક્તિ રોજીરોટી આપનાર માણસ સાથે વિશ્વાસઘાત કરે ત્યાં ઉક્તિ લાગુ પડે છે. જૂનાગઢના માંડલીયા જ્વેલર્સમાં પણ કઈક આવું જ થયું હતું. અહીંયાથી 1.984 કિલોગ્રામ કાચું સોનું જેની કિંમત 89,00,419 રૂપિયા થાય છે તેની ચોરી થઈ હતી.
આ ચોરીની જાણ થતા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 19મી એપ્રિલના રોજ કિરીટભાઈ માંડલીયાએ ફરિયાદ નોંધાવી હતી. તેમની કારખાનામાં લાકડાના દરવાજાનો નકૂચો તોડી અને કારખાનામાંથી 1.984 કિલોગ્રામ કાચું સોનું જેની કિંમત 89,00,419 રૂપિયા થાય છે તેની ચોરી થઈ હતી.
આ ચોરી કારખાનામાં કામ કરતા બંગાળી મજૂર અબ્દુલ ફીરોજ અબ્દુલઅજીમ, સમ્રાટ અજીત નામના શખ્સોએ કરી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ શખ્સો મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં છૂપાયેલા છે. ત્યારે પોલીસે જુદી જુદી ટીમ બનાવી અને મહારાષ્ટ્રમાં તપાસ કરવાતા બંને શખ્સોને ત્યાં હોવાની જાણ થઈ હતી.
પોલીસે ટીમ મોકલી અને આ બંને શખ્સોને મહારાષ્ટ્રથી ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લાવી હતી. ક્રાઇ બ્રાન્ચે ઝડપેલા શખ્સો પાસેથી કાચુ સોનું, સોનાના નેકલેસ, બંગડી, બુટી, પેન્ડલ, વીટી, પાટલા, હાર, બ્રેસલેટ, પાયલ ચાંદીના ચેન વીટી સહિત 64.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે આ શખ્સો પાસેથી 46.51 લાખનું કાચું સોનું, 6 નેકલેસ, સોનાની એક બંગજી, બે ફેન્સી નેકલેસ, 31 બુટ્ટી, એક પેન્ડલ, એક વીટી, 6 પાટલા, એક હાર, 10 બ્રેસલેટ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
From – Banaskantha Update