બનાસકાંઠા જિલ્લામાં પાણીની તીવ્ર અછતથી પશુપાલકોની સ્થિતિ દયનિય

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાના સમયમાં પાણીની તીવ્ર અછત સર્જાઇ રહી છે. જેના કારણે પશુપાલકોની પણ હાલત દયનીય બની છે. પશુપાલકોને પશુ નિભાવવા મુશ્કેલ બની રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા પશુ માટે કોઈપણ જાતની સહાય આપવામાં નથી આવી રહી. જેથી પશુપાલકો સરકાર પાસે સહાયની આસ માડી બેઠા છે.

બનાસકાંઠા જિલ્લો એ ખેતી સાથે સાથે પશુપાલન સાથે સંકળાયેલા જિલ્લો છે. પરંતુ ચોમાસાના સમયમાં બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેવો વરસાદ થયો નથી જેના કારણે જીવાદોરી સમાન ગણાતા ત્રણેય જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે અને દિવસેને દિવસે જમીનના તળ પણ ઊંડા જઈ રહ્યા છે.

જેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. પાણીની વિક્ટ સમસ્યાને લઈ હાલ ઘાસચારામાં પણ તીવ્ર અછત સર્જાઈ રહી છે. જેથી પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો પશુઓને નિભાવવા મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ સરકાર દ્વારા પશુપાલકો માટે આજદિન સુધી કોઇપણ સહાય આપવામાં આવી નથી.

 

જેના કારણે હાલ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. જેના કારણે પશુપાલકોને પશુઓને નિભાવવા પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. તેમજ પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર પશુપાલકોને વાહરે આવે અને કોઈ સહાય પેકેજ જાહેર કરે તો પશુપાલકોને પશુ નિભાવવા કોઈ મુશ્કેલી ન પડે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!