ડીસામાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી મામલે ચૌધરી સમાજે વિરોધ દર્શાવી નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

દૂધસાગર ડેરીના જૂના કૌભાંડના કેસોમાં ફરી ક્રાઇમ બ્રાન્ચે રૂ. 800 કરોડનું વિપુલ ચૌધરીએ કૌભાંડ કર્યું હોવાનું તારણ કાઢી અટકાયત કરી

 

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે. જેના અંતર્ગત શુક્રવારે ડીસામાં અર્બુદા સેના દ્વારા નાયબ કલેક્ટર અને
મામલતદારને આવેદનપત્ર આપી વિપુલ ચૌધરીને તાત્કાલીક મુક્ત નહીં કરાય તો સરકારને ઘર ભેગી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે સરકારે રૂ. 800 કરોડના કથિત કૌભાંડની તપાસ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ગાંધીનગરથી ગુરૂવારે રાત્રે અટકાયત કરાઇ હતી.
વિપુલ ચૌધરી છેલ્લા કેટલાંક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામે ગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઉભુ કરી રહ્યા હતા. જેથી સરકારને આ સંગઠન આગામી ચૂંટણીમાં નુકશાન કરે તેવી ભીતિ હોવાથી વિપુલ
ચૌધરીને દૂધસાગર ડેરીના જૂના કૌભાંડના કેસોમાં ફરી ક્રાઇમ બ્રાન્ચે રૂ. 800 કરોડનું વિપુલ ચૌધરીએ કૌભાંડ કર્યું હોવાનું તારણ કાઢી અટકાયત કરી હતી.

તેમની અટકાયત થતાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે અને અર્બુદા સેના દ્વારા ઠેર-ઠેર આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેના અંતર્ગત શુક્રવારે ડીસામાં અર્બુદા
સેના દ્વારા નાયબ કલેક્ટર અને મામલતદાર કચેરીમાં વિશાળ સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનોએ એકત્ર થઇ આવેદનપત્ર આપ્યું હતું અને જો વિપુલ ચૌધરીને તાત્કાલીક મુક્ત કરવામાં નહીં આવે તો આ ભાજપ સરકારને ઘર ભેગી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!