બનાસકાંઠામાં એક સાથે 758 ઘરોમાં ગાયત્રી મહાયજ્ઞનું આયોજન થયું : વિશ્વમાં એક સાથે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યા

- Advertisement -
Share

મનુષ્યમાં સાચા અર્થમાં ધ્યાન સમર્પણ અને માનવતાવાદી વિચારધારા સમાજ રાષ્ટ્ર અને સમર્થ શક્તિશાળી ઊર્જા વૃદ્ધિ થાય પર્યાવરણમાં વાયુની શુદ્ધિ કરણ વગેરે અનેક ઉદ્દેશ્યથી સમગ્ર વિશ્વમાં વ્યાપેલા ગાયત્રી પરિવારના પ્રણેતા પંડિત શ્રીરામ શર્મા આચાર્યએ સમગ્ર માનવજાતની ઉજ્જવળ ભવિષ્ય માટેની યોજનાઓને વેગવાન બનાવવામાં આવતા ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ ઉપાસના આંદોલનના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં એક સાથે એક જ સમયે સામૂહિક ગાયત્રી યજ્ઞનું આયોજન થયું હતું જેમાં લાખો લોકોએ યજ્ઞમાં ભાગ લઇ ગાયત્રી યજ્ઞ સંપન્ન કર્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા 758 ધરોમાં એક જ સમયે ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લઇ ગાયત્રી યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી.

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા:

આ બાબતે બનાસકાંઠા જિલ્લાના ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરીજન ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગૃહે ગૃહે ગાયત્રી મહાયજ્ઞ ઉપાસના આંદોલનના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 758 ધરોમાં ગાયત્રી યજ્ઞ સંપન્ન થયા છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!