વાવના પ્રતાપપુરા ગામે પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આરોપીને અમદાવાદ ખાતે સારવાર કરાવ્યા બાદ તેને પાલનપુર સબજેલમાં ખસેડાયો હતો. જે બાદ આજે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવના પ્રતાપપુરા ખાતે 20 દિવસ અગાઉ લુભાભાઈ માજીરાણા નામના શખ્સએ તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ ઘટનાની જાણ આજુબાજુના લોકો થતા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલોસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
મૃતક મહિલાની લાશને પી.એમ અર્થે ખસેડાઇ હતી. જે બાદ ઘાયલ લુભાભાઈ માજીરાણાને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેને પાલનપુર સબજેલમાં ખસેડાયો હતો. આજે લુભાભાઈ માજીરાણાની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા પહેલા રસ્તામાં જ આરોપી લુભાભાઈ માજીરાણાની મોત નિપજ્યુ હતું. જે બાદ પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ હતી.
From – Banaskantha Update