પાલનપુરમાં હડકાઇ ગાયે નિવૃત્ત શિક્ષકને સ્કુટરથી પટકી શિંગડાં મારી મારી મોતને ઘાટ ઉતાર્યા, કોણ જવાબદાર..?

- Advertisement -
Share

પાલનપુરમાં રવિવારે સવારે હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના હાલચાલ લઇ ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે હડકાઇ ગાય લોકોને અડફેટે લેતી જોઇ શિક્ષક પોતાનું સ્કુટર જુપીટર બાજુમાંથી લઇ ભાગ્યા હતા. ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં ઘૂસતાં ગાયે તેમને એક્ટિવા ઉપરથી પટકી પગ અને શિંગડાં મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
મૃતક નિવૃત શિક્ષકની ફાઈલ તસ્વીર(જમણી બાજુ)
જેમને 108 મારફત સારવાર અર્થે ખસેડાતાં સારવાર મળે તે પહેલાં જ શિક્ષકનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો હતો. રવિવારે સવારે પાલનપુર ગોબરી રોડ નજીક આવેલ શ્રીરામનગર સોસાયટીના નિવૃત્ત શિક્ષક દશરથભાઈ લીમ્બાચીયા પોતાનું સ્કુટર નંબર GJ-08-AS-5586 લઈને હાઇવે ઉપર બિહારીબાગની સામે એક હોસ્પિટલમાં બીમાર સંબંધીના સમાચાર લેવા નીકળ્યા હતા.

ત્યારબાદ સમાચાર લઇ ઘરે આવતાં હતા. દરમિયાન હનુમાન ટેકરી એગોલા રોડ પર આવતા અચાનક રસ્તામાં હડકાઇ ગાય લોકોને મારતી હતી. ત્યારે દશરથભાઈ તે જોઇ ગાયની બાજુમાંથી સ્કુટર પુરઝડપે લઇ નિકળ્યા હતા ત્યારે ગાયે પીછો કરતાં તેઓ હાઇવેની નિલકંઠ સોસાયટીમાં ઘૂસ્યા હતા જ્યાં સામેથી કોઇ રસ્તો ન આવતા તેઓ અટવાયા હતા. ત્યારે ગાયે તેમને સ્કુટર ઉપરથી ઉછાળી નીચે પાડી પગ નીચે કચડી અને શિંગડા મારી શરીરે ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.

 

આજુબાજુના લોકોએ દોડી આવી ગાયને ભગાડી દશરથભાઈને બચાવી 108 દ્વારા સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલાં દશરથભાઈ લીમ્બાચીયાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. નોંધનીય છે કે, પાલનપુર શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધવા લાગ્યો છે. જ્યાં અવાર-નવાર વાહનચાલકો સહિત રાહદારીઓને અડફેટે લેતા હોય છે.
ચાર કલાકની જહેમત બાદમાં ગાય પકડાઈ
હડકાયી થયેલી ગાયએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જેથી એગોલા રોડ નજીક રહેતા પૂર્વ નગરસેવક અતુલભાઈ ચોક્સી તાત્કાલિક પાલિકાને જાણ કરી તેમજ બજરંગ યુવક મંડળના સભ્યો આવીને ત્રણ કલાકની મહા મહેનતે ગાયને પકડતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

એગોલા રોડના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ‘આ ગાય છેલ્લા એક માસથી અહીંથી ચાલતા વાહનચાલકો તેમજ રાહદારીઓને અડફેટે લે છે. આ અંગે પાલિકામાં મૌખિક રજુઆત કરવા છતાં પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નથી. જેને લઈ આજે એક વૃદ્ધને અડફેટે લેતાં તેનું મોત નીપજ્યું છે.’

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!