કોરોના વાયરસ મહામારીને કારણે અનેક પરિવાર વેરવિખેર થઇ ગયા છે. ત્યારે વડોદરાનાં કરજણમાંથી પણ આવાં જ એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાનાં કરજણ તાલુકામાં લગ્નનાં બીજા દિવસે જ પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેની સારવાર ચાલતી હતી.
લગ્નનાં 13 દિવસ બાદ જ કોરોનાને કારણે પતિનું નિધન થયું. જેના કારણે પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ આઘાતજનક સમાચાર સાંભળતા પરિણીતાની પણ તબિયત લથડી અને તેને પણ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
મળતી માહિતી પ્રમાણે, કરજણ તાલુકાના એક ગામમાં રહેતા યુવાનના લગ્ન મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ થયા હતા. લગ્નના બીજા દિવસે જ પતિને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેણે સારવાર માટે વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ વધારે તબિયત બગડતા કરજણથી વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવારનાં 13મા દિવસે જ પતિ કોરોના સામેની લડાઇ હારી ગયો હતો.
કોરોનાની 13 દિવસની સારવાર બાદ યુવાને અંતિમ શ્વાસ લેતા લગ્નના 13માં દિવસે જ નવદંપતીની જોડી ખંડિત થઇ ગઇ હતી. પતિના અકાળ અવસાનથી પત્નીની પણ તબિયત વધારે બગડી હતી. જેથી તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે.
From – Banaskantha Update