ડીસામાં આશાસ્પદ યુવકે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર

- Advertisement -
Share

યુવકના આત્મહત્યાથી શ્રમજીવી પરિવાર ઉપર આભ તૂટી પડયું : ડીસા ઉત્તર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

બનાસકાંઠા જીલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસામાં ગુરૂવારે મોડી રાત્રે સંતોષી માતાજીના મંદિર પાછળ રહેતાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે.
આશાસ્પદ શ્રમજીવી પરિવારના યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતાં પરિવારજનો પર આભ તૂટી પડયું છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના સંતોષી માતાજીના મંદિર પાછળ રહેતાં દિનેશભાઇ નાથાભાઇ બજાણીયા (ઉં.વ.આ.30) ગુરૂવારની મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર બેકરી કુવા વિસ્તાર નજીક આવેલા

હનુમાન મંદિરના ચબુતરા પર દોરી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ આત્મહત્યાની જાણ વાયુવેગે પ્રસરતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બાદમાં સ્થાનિક લોકો દ્વારા તાત્કાલીક 108 વાનને જાણ કરતાં 108 વાનના પાઇલોટ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

 

આ ઘટના અંગે તેના પરિવારના મોટા ભાઇ રાજુભાઇ નાથાભાઇ બજાણીયાએ ડીસા ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી. જ્યારે ડીસાના સેવાભાવી મનુભાઇ આસ્નાનીએ મૃતકની લાશને પરિવારજનોના ઘર સુધી પહોંચાડી હતી.
મૃતક યુવકના અપમૃત્યુના પગલે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. જેથી અરેરાટી છવાઇ છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!