વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ શણાદર ગામ ખાતે બનાસડેરીના નવનિયુક્ત સંકુલનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે તેને લઈને વહીવટી તંત્ર સજજ થયું છે. જેની લઈ આજે જિલ્લા વહીવટી તંત્રની મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ સણાદર ખાતે 151 વીઘામા નિર્માણ પામેલું બનાસ ડેરીનું સંકુલનું લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે વિવિધ બનાસ ડેરીના પ્લાન્ટના લોકાર્પણને લઈને વહીવટી તંત્ર સજ્જ થયું છે.
આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બનાસડેરીના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે તેને લઈને રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી.
આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટર, ડીડીઓ, રેન્જ આઇજી તેમજ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા હતા તેમજ વિવિધ બનાસડેરીના લોકોને લઈને આજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક પણ યોજાઈ હતી.
From – Banaskantha Update