ડીસા સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજન અને બેડ માટે ભારે મુશ્કેલી પડી રહી છે. જેના લીધે ઓક્સિજન ન મળતાં અનેક લોકો મોતને ભેટી રહ્યા છે અને કેટલાંક ખાનગી તબીબોએ કોવિડ-19 હોસ્પિટલો શરૂ કરી મન ફાવે તેમ દર્દીઓ પાસેથી રકમ વસુલી રહ્યા છે. જેથી ડીસાના જાણીતા વકીલે આરોગ્ય વિભાગથી લઈ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી.
જેમાં કોરોના દર્દીઓ પાસેથી નિયત કરેલ દરો કરતાં વધારે નાણાં પડાવનાર ખાનગી કોવિડ-19 હોસ્પિટલો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે અને દર્દીના પરિવારજનો પાસે લીધેલા વધુ નાણાં પરત આપવામાં આવે તેવી માંગ કરી છે.
ડીસા સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારીની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજન અને બેડ માટે ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે ડીસાના જાણીતા વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના દર્દીઓને લૂટતા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે અભિયાન શરૂ કર્યું છે અને તેમને અનેક દર્દીઓ પાસેથી બીલ આપ્યા વગર માત્ર કાગળ ઉપર લખી આપી લાખો રૂપિયા પડાવનાર તબીબોના કાચા બીલો પણ સોશિયલ મીડીયામાં વાયરલો કર્યા હતા.
કોરોનાના દર્દીઓ પાસેથી નિયત કરેલા દરો કરતાં વધુ નાણાં લેનાર ખાનગી કોવિડ-19 હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દર્દીના પરિવારજનો પાસેથી વધુ લીધેલા નાણાં તેમને પરત આપવામાં આવે તેવી માંગ કરાઇ છે. આ અંગે ડીસાના જાણીતા વકીલ ધર્મેન્દ્રભાઇ ફોફાણીએ આરોગ્ય વિભાગથી લઈ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સરકાર દ્વારા કોરોના કાળમાં દર્દીઓના લાખો રૂપિયા ખંખેરનાર તબીબો સામે કાર્યવાહી ક્યારે થશે.
આ અંગે ડીસાના જાણીતા વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ જણાવ્યું હતું કે, હાલની કોવિડ-19 મહામારીમાં ગુજરાત સરકાર અને આરોગ્ય કલ્યાણ વિભાગ દ્રારા ખાનગી કોવિડ-19 હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી કેટલા નાણાં લેવા તે નક્કી કરાયા છે. રાજયભરની મોટાભાગની ખાનગી કોવિડ-19 હોસ્પિટલોમાં સિલિન્ડરમાં નક્કી કરેલ તેનાથી વધારે નાણાં પડાવવામાં આવી રહ્યા છે.
જેથી આવી ખાનગી કોવિડ-19 હોસ્પિટલોની તપાસ કરી જે પણ દર્દીઓ પાસેથી વધારે નાણાં લેવાયા તે પરત આપવાની માંગ કરાઇ છે. આવી ખાનગી કોવિડ-19 હોસ્પિટલો સામે એફીડેવીટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઇ છે. આ અંગે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી અને હેલ્થ વિભાગ વગેરેને લેખિતમાં રજૂઆત કરી છે. જો આ સરકાર તરફથી પગલા લેવામાં નહી આવે તો આ અંગે અન્ય કાયદાકીય ઉયાયો તેઓ અમલમા મુકશે તેવી બાંહેધરી આપી છે.
From – Banaskantha Update