ગણપતિ બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર : મહેસાણા પોલીસે 100 વર્ષ જૂની પરંપરા વરસતા વરસાદમાં પણ જાળવી રાખી : જમણી સૂંઢવાળા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા

Share

સમગ્ર રાજ્યમાં શુક્રવારથી શરૂ થતા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં મહેસાણા જીલ્લામાં આવેલા ગણપતિ એક વિશેષ સ્થાન ધરાવે છે. મહેસાણા શહેરમાં ફુવારા સર્કલ પાસે આવેલા ગણપતિ મહારાજ જમણી સૂંઢવાળા છે. જો કે, મોટા ભાગે મંદિરોમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. આ ગણપતિને પોલીસ દ્વારા દર વર્ષે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.

[google_ad]

મહેસાણા શહેરમાં ફુવારા પાસે આવેલા સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા અનેક ગણો છે. મહેસાણા શહેરના તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. આ મંદિરમાં ગણપતિજીની જમણી સૂંઢવાળી વિશેષ પ્રતિમા છે. સામાન્ય રીતે ગણપતિ મંદિરમાં ગણપતિની પ્રતિમા ડાબી સૂંઢવાળી હોય છે. પરંતુ મહેસાણા સિદ્ધિ વિનાયક મંદિરમાં જમણી સૂંઢવાળી પ્રતિમા છે.

[google_ad]

મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું ગણેશ ચતુર્થીના દિવસે ગાયકવાડના સમયથી ચાલી આવતી વર્ષો જુની પરંપરા મુજબ ગણેશ મહોત્સવ દરમિયાન મહેસાણા પોલીસ દ્વારા દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

[google_ad]

નિરંજનદાસ મહારાજે જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી મહેસાણા ખાતે રાજ મહેલ રોડ ફુવારા પાસે આવેલા ગણપતિ દાદાના મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સિદ્ધિ વિનાયક મંદિરના પુજારી લાલજી મહારાજ અને ટ્રસ્ટી બાબુપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઉદાસીન સપ્રદાયના મહાત્માં નિરંજનદાસ મહારાજ ભારત ભ્રમણ કરવા નિકળ્યા હતા. તે દરમિયાન તેઓ મહેસાણા ખાતે આવ્યાં હતા અને અહીં ધુણી ધખાવી જમણી સૂંઢવાળી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી હતી.

[google_ad]

જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો અનોખો મહિમાં જમણી સૂંઢના ગણેશજીની પ્રતિમાનો મહિમા અનેરો છે. સિદ્ધિ વિનાયક મંદિર 100 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી નિમાર્ણ પામેલું છે. સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણશેજીની પ્રતિમાનું વિશેષ મહત્વ છે અત્રે ઉલેખનીય છે કે, ગણપતિ બાપાની સ્થાપના સમયે મહેસાણા પોલીસ દ્વારા 100 વર્ષથી ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે. આ મંદિરે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ગણપતિ મહોત્સવની શરૂઆત કરાવી હતી અને તે સમયથી દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા યથાવત છે.

[google_ad]

1921થી ચાલી રહી છે ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરાઆ પરંપરા 1921થી ચાલી આવી રહી છે. એ સમય ગાળા દરમિયાન મહેસાણા શહેરમાં પોલીસ હેડક્વાર્ટરથી અધિકારીઓ ગણપતિ મંદિર પાસે આવી બાપાને ગાર્ડ ઓફ ઓનર આપતા હતા. મંદિરના પૂજારીના જણાવ્યાં પ્રમાણે 1911 માં અહીંયા નિરંજન દાસ ગુરુ એ જમીન ખરીદી હતી અને 1917 માં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ પરંપરા યથાવત છે અને શુક્રવારે મહેસાણામાં ગણપતિ મંદિર ખાતે ચાલુ વરસાદમાં પણ મહિલા પોલીસ કર્મીઓએ ગણપતિ બાપાને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યા હતા.

 

From – Banaskantha Update


Share