ધાનેરા, થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા સહીતના તાલુકાને નર્મદાનું પાણી આપવા તેમજ સીપુ અને દાંતીવાડા ડેમના વિસ્તારના લોકોને પાણી પુરૂ પાડવા સહીત ખેડૂતોની સમસ્યાઓને લઇને ધાનેરામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા
બુધવારે ધાનેરાના પાણી અધિકાર માટે સભા યોજાઇ હતી. જ્યારે ધાનેરામાં રેલી નીકાળી પ્રાંત કચેરી પહોંચી માટલા ફોડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી માટે માંગ કરાઇ હતી.
બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન ઉપર આધારીત છે. ત્યારે જીલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જતાં અને પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે ખેતી માટે સિંચાઇના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે.
ત્યારે હવે પીવાના પાણી અને પશુપાલન માટે પણ પાણીની તંગી સર્જાતાં ધાનેરા, થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા સહીતના તાલુકાને નર્મદાનું પાણી આપવા તેમજ સીપુ અને દાંતીવાડા ડેમના વિસ્તારના લોકોને પાણી પુરૂ પાડવા સહીત ખેડૂતોની અનેક સમસ્યાઓને લઇને બુધવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ધાનેરાના ખેડૂતોની પાણી અધિકાર સભા યોજાઇ હતી.
આ સભામાં અનેક ખેડૂત નેતાઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાનેરા સહીતના તાલુકાઓમાં સિંચાઇના અને પીવાના પાણીની માંગ કરી હતી. ત્યારબાદ ખેડૂતો ધાનેરામાં રેલી નીકાળી ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પ્રાંત કચેરી પહોંચ્યા હતા.
જ્યાં ખેડૂતોએ પ્રાંત કચેરીમાં માટલા ફોડી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પાણી માટેની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આ ઉપરાંત ચિમકી ઉચ્ચારી હતી કે, ‘જો ખેડૂતોની પાણીની સમસ્યા ઉકેલવામાં નહી આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.’
From-Banaskantha update