પર્યાવરણની આંગળી પકડીને આગળ વધેલા માનવી એજ સૌથી વધારે મુશ્કેલીઓને સમસ્યાઓ ઉભી કરી છે. પોતાના નીજી સ્વાર્થ ખાતર આડેધડ જંગલો, ખેતરોના વૃક્ષો કાપીને ધરતીની હરિયાળી સંપતિને હણી નાખી છે. જેના કારણે વૈશ્વિક પર્યાવરણીય પ્રશ્નો ઉદ્દભવ્યા છે. જેવા કે, આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિગ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, લુપ્ત થતી જીવ સૃષ્ટિના કારણે પર્યાવરણમાં પણ મોટા ફેરફારો થવા લાગ્યા છે અને આ બધા ફેરફારોની મોટી અસર માનવ સવાસ્થ્ય પર થવા લાગી છે.
સમગ્ર વિશ્વ વર્તમાન સમયમાં સંકટ નાણાં અને મોટા ગંભીર સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. આ કોરોનાએ પુરા દેશમાં કહેર મચાવ્યો છે. ત્યારે એક ઓક્સિજન બોટલ માટે માણસ લાચાર અને પાંગળો બની ગયો હતો અને ઓક્સિજન બોટલ માટે ઠેર-ઠેર દોડી રહ્યો હતો. કેટલાંક લોકોએ ઓક્સિજન વગર જીવ પણ ગુમાવ્યા છે. આ જીવ ગુમાવનાર વ્યક્તિઓના સ્વજનોને અને ઓક્સિજન ની બોટલથી સ્વસ્થ થયેલ દરેક વ્યક્તિએ 5-5 વૃક્ષો વાવીને જ્યાં સુધી જીવે ત્યાં સુધી વૃક્ષોનો ઉછેર કરવો અને ઇશ્વરનો આભાર માનવો જાઇએ. જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફતે બહાર પાડી મૂકવામાં આવી છે. જે ખેડૂતો માટે આશિર્વાદ રૂપ હશે પણ પર્યાવરણ માટે ખતરાની ઘંટડી સમાન છે. કારણ કે, આ યોજનાથી પર્યાવરણને બહુ મોટું નુકશાન થઇ રહ્યું છે. ખેડૂત પોતાના ખેતરના શેઢે આવેલા વર્ષો જૂના મોટા તોતિંગ વૃક્ષો કાપીને એના બદલે તારની વાડ કરી રહ્યા છે. થોરની વાડ અને કાંટાળી વાડમાં કેટલાંય જીવ જંતુઓ અને પક્ષીઓ પોતાનો વસવાટ કરી રહ્યા હતા અને કેટલીયે પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિય વેલો થતી હતી. જે ફેન્સીંગ તારની વાડ થવાથી લુપ્ત થઇ રહી છે. 2005માં શરૂ થયેલ યોજના પછી જો વૃક્ષોની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો સતત વૃક્ષોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
કેટલાંય પર્યાવરણ પ્રેમીઓ આ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વૃક્ષો કપાઇને જયારે ટ્રેક્ટરો ભરીને જતાં હોય છે. ત્યારે વૃક્ષો ક્યાંથી કાપ્યા છે. એવો સવાલ કરતાં લીલા વૃક્ષોનો કાળો કારોબાર કરતો વ્યક્તિ સ્થાનિક રાજકારણી કે, ધારાસભ્યોને ફોન કરીને પર્યાવરણ પ્રેમીઓનું મનોબળ તોડવામાં આવે છે. ક્યારેક સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ કહેવામાં આવે છે કે, અમે ફક્ત રોડ પર વૃક્ષો કપાતાં હોય તો જ રોકી શકીએ. ખેડૂતની માલિકી પર આવેલા વૃક્ષો કોલસા બનાવવા માટે પરમીટમાંથી વૃક્ષો કાપવાના નિયમન અને નિયંત્રણમાંથી મુક્ત આપે છે. તા. 27/03/2008 થી વૃક્ષોની 86 પ્રજાતિઓના વૃક્ષોને કાપવા માટે છૂટ આપેલ છે. જેમાં લીમડો અને રૂખડો જેવા વૃક્ષોનો પણ સમાવેશ થાય છે. તો ખાસ કરીને ઉતર ગુજરાતમાં લીમડાનું નિકંદન વધારે નીકળી રહ્યું છે. જા આવી પરિસ્થિતિ રહેશે તો લીમડો વૃક્ષ પણ લુપ્ત થઇ જશે. તો સરકારના ઉપરોક્ત પરિપત્રમાંથી લીમડો અને રૂખડો વૃક્ષ કાપવા માટે પ્રતિબંધ મુકાય તેવી દરેક પર્યાવરણ પ્રેમી લોકોએ રજૂઆત કરવી પડે ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેન્ટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓએ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે. ”વિશ્વ પર્યાવરણ દિવસે” સહુ સંકલ્પ લઇએ અને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને ટકાઉ બનાવીશું. ‘વૃક્ષો વાવો, જીવન બચાવો’ રોજીંદા જીવનમાં થોડો સમય પણ પર્યાવરણ માટે સંવેદનશીલ બનીએ તો તે પણ આપણી આસપાસના પર્યાવરણ માટે બહુ મોટું કામ કરી શકાય તેમ છે.
આ અંગે નારણભાઇ કે. રાવળે જણાવ્યું હતું કે, ‘જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાત સરકારે ઠરાવ મારફતે બહાર પાડી મૂકવામાં આવી છે. જે ખેડૂતો માટે આશિર્વાદ રૂપ હશે પણ પર્યાવરણ માટે ખતરાની ઘંટડી સમાન છે. કારણ કે, આ યોજનાથી પર્યાવરણને બહુ મોટું નુકશાન થઇ રહ્યું છે. તે માટે ખેડૂત પોતાના ખેતરના શેઢે આવેલા વર્ષો જૂના મોટા તોતિંગ વૃક્ષો ન કાપીને એના બદલે તારની વાડ કરવી જાઇએ. થોરની વાડ અને કાંટાળી વાડમાં કેટલાંય જીવ જંતુઓ અને પક્ષીઓ પોતાનો વસવાટ કરી રહ્યા હતા. જેથી કેટલીયે પ્રકારની વનસ્પતિઓ અને ઔષધિય વેલો થતી હતી. જે ફેન્સીંગ તારની વાડ થવાથી લુપ્ત થઇ રહી છે. 2005 માં શરૂ થયેલ યોજના પછી જા વૃક્ષોની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો સતત વૃક્ષોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે હાલમાં વિશ્વમાં કોરોના વાયરસ ચાલે છે. જેના કારણે ઓક્સિજનની અછત સર્જાઇ છે. તે નિર્દોષ લોકોને ઓક્સિજનની અછતથી જીવ ગુમાવવાનો વારો આવે છે. તે સરકારી યોજનામાં પરિપત્રોમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં તારની ફેન્સીંગ વાડમાં સુધારા કરવા જોઇએ.’
From –Banaskantha Update