સમગ્ર ભારતમાં કોરનાની લહેર ચાલી રહી છે જેમાં બનાસકાંઠા અને ડીસા તાલુકા પણ ભરડામાં છે હાલ દર્દીઓને ઓક્સીજન ખુબ જરૂર પડતી હોય લોકોને ઓક્સીજનનો પુરવઠો પૂરતો પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને જેના કારણે લોકોને જીવ ગુમાવા પડે છે : આપ
આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ડીસાના ખાનગી ડોક્ટરોએ હાલ નવા કોરોનાના દર્દીઓને દાખલ કરતા નથી, તેમનુ કહેવું આવું છે કે તેમને રેમડેસિવિર ઇન્જેક્સન અને ઓક્સીજન નથી મળી રહ્યું છે.
તો આ ડોકટરોને પૂરતો પુરવઠો મળી રહે એવી સુચારુ વ્યવસ્થા ગોઠવામાં આવે આથી લોકોના મહામુલી જિંદગીના છીનવાય તેવી આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે.
આમ આદમી પાર્ટી ડીસાના જણાવેલ એ અનુસાર “સોસીયલ મીડયા પર ફરતા મેસજમાં પણ એવું જણાવાયું છે કોઈ પણ હોમ અઈસોલેટ દર્દીઓને ઓક્સિજન નહિ મળે, તંત્રના આદેશથી તેની ખરી કરીને જો આમ કરવામાં આવ્યું હોય તો ખોટું. કારણકે ઘણા દર્દીઓની ઘરે દવા થઇ રહી છે હોસ્પિટલમાં જગ્યા ના હોવાના કારણે તો તેમની સાથે અનાન્ય થશે અને તેમને જિંદગીથી હાથ ધોવો પડશે” આથી તેમને પણ તંત્રના સુપરવિઝન મુજબ ઓક્સીજન મળી રહે એવી આમ આદમી પાર્ટીએ માંગ ઉઠાવી છે.
From – Banaskantha Update