દિયોદરના ગુમ થયેલ યુવકનો મૃતદેહ પાલનપુરમાં દાટી દીધેલી હાલતમાં મળી આવ્યો

- Advertisement -
Share

દિયોદરના મીઠી પાલડી ગામનો ગુમ થયેલા યુવકની પાલનપુર મોરીયા ગામ નજીક દાટી દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે જી.સી.બી મશીન દ્વારા શંકાસ્પદ જગ્યા ઉપર ખોદકામ કરીને મૃતદેહ બહાર કઢાયો હતો.

 

બનાસકાંઠા જિલ્લામાં હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક યુવકનો દાટી દીધેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દિયોદરના મીઠી પાલડી ગામનો યુવક પોતાનું ટ્રેકટર લઇને પાલનપુરના મોરિયા નજીક ચાલી રહેલા રોડના ગામમાં મજૂરી અર્થે ગયો હતો અને અચાનક દિયોદરના મીઠી પાલડી ગામનો યુવક ગુમ થતાં પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.

 

પરિવારે યુવકની ગુમ થયાની પોલીસને જાણ કરી હતી અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યુવકની હત્યા કરી દેવામાં આવી છે તેઓ પોલીસને જણાવતા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસે રોડનું કામ કરતા જેસીબી માલિક સાથે યુવકની તકરાર થઈ હોવાનું સામે આવતા પોલીસે જીસીબીના માલિકની પૂછપરછ હાથ ધરાઈ હતી.

 

જે બાદ જીસીબીના માલિકે પર પોલીસને શંકા જતા વધુ પૂછપરછમાં જેસીબીના માલિકે યુવકને મારીને દાટી દીધો હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને ગુમ થયેલ યુવકની હત્યા કરી તેની લાશને પાલનપુરના મોરીયા ગામ નજીક દાટી દેવાની પરિવારને શંકાને લઇ પોલીસે શંકાસ્પદ જગ્યાએ જઈને ખોદકામ કરતા ગુમ થયેલ યુવકનો ત્યાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે મૃતદેહને બહાર નીકાળી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ગુમ થયેલા યુવક પોલીસે વધુ તપાસ કરી ગુમ થયેલ યુવક હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!