લાખણીના નાણીમાં હીન્દુ યુવા સંગઠનના માધ્યમથી સોની મહીલા મંડળે ગાયોને લીલુ ઘાસ આપ્યું

- Advertisement -
Share

 

લાખણી તાલુકાના નાણીમાં ગાયોને ઘાસચારાની અછતના કારણે બનાસકાંઠાના સેવાભાવી સંસ્થાઓ અને ગૌ સેવા સમિતિ દ્વારા ઘાસચારાની સગવડ કરાય છે.

 

 

દરરોજ 2 આઇશર ટ્રક ઘાસ જાય ત્યારે બધી ગાયોને પૂરતી ઘાસ મળે છે પણ એ શક્ય નથી પણ ગાયોને ઘાસચારો મળી રહે તે માટે સોશિયલ મીડીયાના માધ્યમથી લોકોને જાણ કરાય છે.

 

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘લાખણી તાલુકાના નાણીમાં ચાલતી સેવાઓ અને ઘાસની અછતના કારણે ગાયો મોતને ભેટી રહી છે.

 

જ્યારે અમારા સોશિયલ મીડીયાના માધ્યમથી ડીસાના સોની બજારના સોની મહીલા મંડળને નાણીની જાણ થતાં અમારો સંપર્ક કર્યો હતો.

 

અમે હકીકત જણાવતાં મહીલા મંડળ દ્વારા ફંડ એકત્રિત કરી રૂ. 65,000 નું દાન આપ્યું હતું. જે 2 દિવસ 2 આઇશર ટ્રક લીલુ ઘાસ નાણી ગૌચરમાં મોકલાયું હતું અને નાણી ગૌચરમાં મહીલા મંડળની બહેનોએ રૂબરૂ સાથે રહીને ગાયોની ભાળ લીધી હતી.

 

નાણી ગૌચર ખાતે સોની મહીલા મંડળ દ્વારા ગૌમાતાને 2 આઇશર ટ્રક લીલુ ઘાસ આપવામાં આવ્યું તે બદલ સૌ કોઇએ સોની મહીલા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!