બનાસકાંઠામાં 8 કલાક વીજ માંગને લઇને ખેડૂતોના ધરણાં ચોથા દિવસે પણ યથાવત ખેડૂતોની વીજ માંગના હીતમાં દિયોદર શહેર સ્વયંભૂ બંધ પાળ્યો હતો. વેપારીઓ આમ નાગરિક સહીત ગ્રામ પંચાયતે સજ્જડ બંધ પાળ્યો હતો.
બનાસકાંઠાના દિયોદર પંથકના ખેડૂતો છેલ્લા 4 દિવસથી 8 કલાક પૂરતી વીજળી મળે તે માટે વખા વીજ સબ સ્ટેશન ખાતે ધરણાં ઉપર ઉતર્યાં છે.
ત્યારે શનિવારે ધરણાં ઉપર ઉતરેલા ખેડૂતોના સમર્થનમાં દિયોદરના વેપારીઓ આવ્યા છે અને દિયોદર શહેરના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખીને ખેડૂતોને સમર્થન આપ્યું છે.
દિયોદર ગ્રામ પંચાયત દ્વારા બજાર બંધ રાખવાની અપિલ કરતાં સજ્જડ બંધ રહી છે. જો કે, વીજળી માટે વલખાં મારી રહેલા ખેડૂતો 8 કલાકની વીજળી મળે તે માટે આંદોલન કરી રહ્યા છે.
ત્યારે તેમની પીડા જોઇને વેપારીઓ પણ હવે ખેડૂતોના આંદોલનમાં જોડાયા છે. આ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, ‘અમારા ધંધા-રોજગાર ખેડૂતો ઉપર આધારિત છે. ખેડૂતોના પાક જ નહીં પાકે તો ધંધા-રોજગાર ઠપ્પ થઇ જશે.
જેથી અમે ખેડૂતોને દરેક રીતે સમર્થન આપીશું જો સરકાર ખેડૂતોને પૂરતી વીજળી નહી આપે તો અમે હાલ તો દિયોદર શહેરના વેપારીઓએ જ દુકાનો બંધ રાખી છે પણ આગળ ગામડાઓના પણ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને ખેડૂતોના સમર્થનમાં ઉતરીશું.’
બનાસકાંઠા જીલ્લાના દિયોદર શહેરમાં સ્વયંભૂ બંધથી મોલ, મલ્ટીપ્લેક્સ દુકાનો અને તમામ શોપિંગ પણ બંધ રહ્યા હતા. ખેડૂતોના હીતમાં વેપારીઓ દ્વારા બંધ પાળી મેસેજ આપવામાં આવ્યો હતો.
સરકાર 8 કલાક પૂરતી વીજળી આપી ખેડૂતોને ન્યાય આપે વેપારી એસોસીએશનનો નિર્ણય છે કે, ‘અમે રાજકીય સંગઠન વગર ખેડૂતોના હીતમાં બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.’
From-Banaskantha update