ડીસાના રસાણા નજીક કેનાલમાં પડતાં 6 ગાયોના મોત : એક ગાયનો બચાવ

- Advertisement -
Share

સિંચાઇ વિભાગે કેનાલ સફાઇ ન કરી ગંભીર બેદરકારી દાખવતાં દુર્ઘટના સર્જાતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે

 

ડીસા-પાલનપુર હાઇવે પર રસાણા નજીક કેનાલમાં પડતાં 6 ગાયોના મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે. જયારે એક ગાયને આજુબાજુના લોકોએ બચાવી લીધી હતી.
સિંચાઇ વિભાગે કેનાલ સફાઇ ન કરી ગંભીર બેદરકારી દાખવતાં દુર્ઘટના સર્જાતાં જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-પાલનપુર હાઇવે પર રસાણા ગામ નજીક દાંતીવાડા જળાશય યોજનાની મુખ્ય કેનાલ પસાર થાય છે.
જેમાં રવિવારે વહેલી સવારે 7 ગાયો કેનાલના પાણીમાં ખાબકી હતી અને પાણીના વહેણમાં તણાતી ગાયો હાઇવે પાસે પુલીયા નીચે કચરાના ઢગલામાં ફસાઇ જતાં 6 ગાયોના મોત નિપજ્યા હતા.
આ ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવતાં એક ગાયને રાહત કામગીરી કરી બચાવી લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘સિંચાઇ વિભાગ દ્વારા કેનાલની સફાઇ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે.
પરંતુ અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી કેનાલની સફાઇ ન કરતાં ગાયો કચરાના ઢગલામાં ફસાઇ ગઇ હતી અને અધિકારીઓની બેદરકારીના કારણે ગાયોના મોત થતાં જીવદયાપ્રેમીઓમાં ભારે આક્રોશ ભભૂક્યો હતો.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!