ડીસાના ધનાવાડા ખાતે ખેતરમાં મજૂરી કામ કરતા પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પતિએ મકાન સળગાવી દેતા આ મામલે પત્નીએ પતિ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદની વિગત જોતા ડીસાના ધનાવાડા ખાતે રહેતા કસુબીબેન રમેશભાઈ વણકર પરિવાર સાથે રહે છે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ 01/05/22ના રોજ રાત્રે પરિવાર સાથે ઘરે હતા.
તે દરમિયાન તેમના પતિ અને સાસુ ગાળો બોલી મારવા લાગેલ અને કહેલ કે અહીંથી નીકળી જાઓ જેથી કસુબીબેન બાળકો સાથે ગામમાં આવેલ શંકર ભગવાનના મદિર આવીને સુઈ ગયેલા. જોકે, તે દરમીયાન તેમના પતિ રમેશભાઈએ ગામતલમાં આવેલ મકાન સળગાવી દેતા ઘરમાં તમામ ઘરવખરી બળીને રાખ થઈ જતા અને નુકશાન થતા આ મામલે કસુંબીબેને ડીસા તાલુકા પોલીસ મથકે પતિ રમેશભાઈ વણકર વિરુધ ફરિયાદ નોંધવાતા પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update