બનાસકાંઠામાં ચાલી રહેલા કોરોના મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં નારાયણી હોસ્પિટલમાં એક કોરોના દર્દીનું મૃત્યુ થતા તેના સગા સબંધીઓએ હંગામો મચાવ્યો હોવાનું સામે આવ્યું.
ડીસાની નારાયણી હોસ્પિટલમાં એક કોરોના પીડિત દર્દીનું કોરોનાથી મોત થતા હંગામો મચ્યો હતો. ટેટોડા ગામનાં કોરોના દર્દીનું સારવાર દરમિયાન નારાયણી હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો. હંગામો થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
From – Banaskantha Update