વડગામના એક ગામેં ફૂડ પોઈસનની અસરથી 25 ઘેટાં-બકરાંનાં મોત, અરેરાટી વ્યાપી

- Advertisement -
Share

વડગામ તાલુકાના માલોસણા ગામના ખેડૂતો બુધવારે પોતાના 100 જેટલા ઘેટાં-બકરાં લઇ ટીંબાચુડીના ચરામાં ચરાવવા ગયા હતા. ત્યાં કોઈ એવો ખોરાક ખાવાથી 25 જેટલા ઘેટાં બકરાંના મોત થયા હતા. જ્યારે અન્ય પશુઓ નીચે પડી જતાં જેની જાણ પશુ ડોક્ટરોને થતાં તાત્કાલિક પશુ ડોક્ટરોએ ત્યાં પહોંચી પ્રાથમિક સારવાર કરતા 70 કરતા વધુ ઘેટાં-બકરાં બચી ગયા હતા.

 

વડગામ તાલુકાના માલોસણા ગામના ખેડૂત નારણભાઈ વાલ્મીકિ, અશોકભાઈ બાબુભાઈ દેવીપૂજક અને મોતીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતો આશરે 100 જેટલા ઘેટાં-બકરાં ચરાવવા માટે ટીંબાચુડીના ચરામાં ગયા હતા. ત્યાં આવેલ અણિયારનો ચારો ખાતા ઘેટાં-બકરાંને પોઇઝન થઇ ગયું હતું અને ટપોટપ એક-એક ઘેટાં બકરાં મરવા લાગ્યા હતા.

ત્યારે ખેડૂતોએ વડગામ, છાપી અને મોરિયાના સરકારી પશુ ડોકટરોને તાત્કાલિક બોલાવ્યા હતા અને આવેલ ડોકટરોએ તમામ ઘેટાં-બકરાંને પ્રાથમિક સારવાર ચાલુ કરતા આશરે 70 જેટલા બચી ગયા હતા અને મૃત્યુ પામેલ પશુઓનું ડોકટરોએ પી.એમ કર્યું હતું. જેને લઇ ગામમાં અરેરાટી વ્યાપી હતી. નારણભાઈ વાલ્મીકિના 13, અશોકભાઈ બાબુભાઈ દેવીપૂજકના 7, મોતીભાઈ દેસાઈના 6 ઘેટાં-બકરાં મરી ગયા હતા.ખેડૂતો મરી ગયેલ પશુઓની સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવું જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!