બનાસકાંઠામાં વાવના કોંગ્રેસના ધારાસભ્યની જનતા રેડ મામલે ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખની જીલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક યોજાઇ

- Advertisement -
Share

 

બનાસકાંઠાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરેલી જનતા રેડ બાદ અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા.જ્યાં ઠાકોર સમાજના 2 યુવાનો પર થયેલા કેસ મામલે મંગળવારે જીલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી હતી.

 

 

અલ્પેશ ઠાકોર આડકતરી રીતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કર્યો હતો કે, ઠાકોર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

 

ભાભરની કોતરવાડા નજીક થયેલી જનતા રેડ બાદ રાજકારણ ગરમાયું હતું. જે જનતા રેડ કરવામાં આવી અને તે બાદ પોલીસના તપાસમાં તથ્યો અલગ જ બહાર આવ્યા હતા.

 

 

જે મામલે મંગળવારે ઠાકોર સમાજના આગેવાન અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જીલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાથે બેઠક કરી હતી.

 

 

અલ્પેશ ઠાકોરે સમગ્ર કેસ મામલે ચર્ચા કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કર્યો હતો કે, પોતાના રાજકીય ઉપયોગ માટે ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ કરી રહ્યો છે.

 

 

ઠાકોર સમાજ રાજકીય ઉપયોગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. ઠાકોર સમાજના જે લોકો પર કેસ થયો છે તેમની સાથે છું. જનતા રેડ મામલે તેમણે કહ્યું હતું કે, રાત્રે 3 વાગ્યે જનતા રેડ કરવી તે જ સવાલો ઉભા કરે છે.

 

 

ત્યારે પોતાના રાજકીય ઉપયોગને લઇને ઠાકોર સમાજના યુવાનો આ પ્રકારે ઉપયોગ કરવો અયોગ્ય છે. જનતા રેડ નહીં પરંતુ ઠાકોર સમાજના યુવાનો નશામુક્ત બને તે માટે ઠાકોર સેના કામ કરે.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!