આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે પ્રગટાવવાનું ધાર્મિક મહત્વ છે. આ દિવસે લોકો એકબીજાને તિલક કરી એકબીજા સાથે પ્રેમથી જોડાય છે. ભારતીય સંસ્કૃતિમાં રંગબેરંગી રંગો સાથે આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, સોળ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં હોળી દહન તેમજ તિલક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે મંડળના માનનીય પ્રમુખ રમેશભાઇ પટેલે હોળી-ધુળેટીની તિલક હોળી દ્વારા ઉજવણી કરી પાણીનો બચાવ કરીએ તેવો સંદેશો પણ આપ્યો હતો. તેમજ હોળી ધુળેટીની શુભકામનાઓ પાઠવી અને બાળકો દ્વારા પણ તિલક હોળીની ઉજવણી કરી પાણી બચાવોનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રમેશભાઇ પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર સાહેબ,મહેન્દ્ર પંચાલ સાહેબ, ગુજરાતી બાલ મંદિરના આચાર્યા દર્શનાબેન મોદી ઇંગ્લીશ મીડિયમ સ્કુલનાં આચાર્યા હેતલ રાવલ, કર્મચારીગણ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
From – Banaskantha Update