ભારતીય લશ્કરમાં ફરજ બજાવતાં માલધારી સમાજના યુવાનોએ માનવતાના ધોરણે સેવા માટે ગૃપ બનાવી શહીદ થનાર જવાનના પરિવારને આર્થિક મદદ કરી એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. માલધારી સમાજ સૈનિક પરિવારે વડગામના શહીદ પરિવારને રૂ. 1,21,000 રોકડની મદદ કરી હતી.
ગુજરાતના રબારી અને ભરવાડ (માલધારી) સમાજના જવાનોએ બનાવેલા ગૃપ થકી જે પણ જવાન શહીદ થાય તેના પરિવારને રૂબરૂ મળવા ઉપરાંત શાત્વના પાઠવી દુઃખના સમયમાં મદદગાર બનવાની ભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ત્યારે વડગામ તાલુકાના છનિયાણા ગામના વતની અને ભારતીય લશ્કર (આર્મી) માં ફરજ બજાવતાં રમેશભાઇ ચેલાભાઇ રબારી તાજેતરમાં જ શહીદ થતાં પરિવાર સહીત માલધારી સમાજમાં પણ ભારે દુઃખની કાલીમા છવાઇ હતી.
માલધારી સમાજ સૈનિક પરિવારના રમેશભાઇ આલ (ઉકરડા) અને રાજુભાઇ રબારી (નાંદોત્રા) એ છનિયાણા ગામે રૂબરૂ મુલાકાત લઇ શહીદ જવાનના પરિવારને રૂ. 1,21,000 ની સહાય આપી હતી.
From-Banaskantha update