દિયોદર તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોએ ગત દિવસે કુવારવા ગામે રજુઆત કરી હતી પરંતુ ખેડૂતોને વીજળીનો સમય ન વધારતા સોમવારે વખા મુખ્ય કચેરીએ ધરણા યોજ્યા હતા.
દિયોદર તાલુકાના ખેડૂતો સોમવારે વખા ખાતે આવેલ 220 કે.વી.વીજ સબ સ્ટેશન ખાતે મોટાભાગના ખેડૂતો વિવિધ માંગણીને લઈ પહોંચ્યા હતા. જેમાં ખેડૂતોએ ‘જય જવાન જય કિસાન’ ના નારા લગાવી વીજ કંપની દ્વારા પૂરતી 8 કલાક વીજળી આપવાની માંગ કરી હતી.
જેમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા ખેડૂતોને 8 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે પરંતુ વીજ કંપની દ્વારા માત્ર 6 કલાક વીજળી આપવામાં આવે છે. જેમાં વારંવાર ટીપ મારવાના કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે. જેમાં અનેક રજુઆત કરી છે પરંતુ વીજ કંપની દ્વારા અમને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવતી નથી. જે અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. હોળી પહેલા અમારી માંગ નહીં સંતોષાય તો અમો આગામી સમય ઉગ્ર આંદોલન કરીશું. જો કે ઉગ્ર માંગણીને લઈ ખેડૂતોએ વીજ કચેરી ખાતે ધરણાં યોજ્યા હતા. જેમાં આખરે પોલીસ તંત્ર અને જવાબદાર તંત્રએ આશ્વાસન આપતા ખેડૂતો પરત ફર્યા હતા. ’
From – Banaskantha Update