દાંતીવાડાના ડાંગીયા નજીક ભ્રૃણ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

રાત્રિના સમયે કોઇ અજાણી વ્યક્તિ ભ્રૃણ મૂકી જતાં લોકોમાં અરેરાટી : દાંતીવાડા પોલીસે ભ્રૃણને રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી

 

દાંતીવાડાના ડાંગીયા રોડ ઉપર શુક્રવારે એક નવજાત અધૂરા માસે જન્મેલું ભ્રૃણ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. રાત્રિના સમયે કોઇ અજાણી વ્યક્તિ ભ્રૃણ મૂકી જતાં લોકોમાં અરેરાટી ફેલાઇ છે.
દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ભ્રૃણને દાંતીવાડાથી પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માનવતા મરી પડી હોય તેવી ઘટના સામે આવી છે. દાંતીવાડાના ડાંગીયા રોડ ઉપર શુક્રવારે વહેલી સવારે સ્થાનિક લોકોને રોડ ઉપરથી એક 6 થી 7 માસનું

 

ભ્રૃણ જોવા મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક લોકોએ દાંતીવાડા પોલીસને જાણ કરતા દાંતીવાડા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી.

 

સ્થાનિક લોકોનું માનવું છે કે, રાત્રિના સમયમાં કોઇ અજાણી વ્યક્તિ ભ્રૃણને રસ્તા વચ્ચે મૂકીને જતું રહ્યું હોય તેવું અનુમાન કરી રહ્યા છે.

 

જોકે, દાંતીવાડા પોલીસ ભ્રૃણને કબજે લઇ દાંતીવાડાથી પાંથાવાડાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!