ડીસામાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ માટેના કાયદાના વિરોધમાં બુધવારે ડીસા ગોપાલક રબારી સમાજ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પશુપાલન વિરોધી કાયદા લાવી પશુપાલકોને પરેશાન કરવાની નીતિને સામે ગોપાલ રબારી સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાતમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે અનેક સ્થાનિક લોકો દ્વારા રખડતા ઢોરોને મુક્ત કરવા માટે અનેકવાર સરકાર સામે રજૂઆત કરાઇ છે.
ત્યારે સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલા વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરોને નિયંત્રણ માટે શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને જો ઝડપાયેલ પશુના માલિકોને દંડ તેમજ સજાની જોગવાઇ સંદર્ભે બીલ લાવવામાં આવનાર છે.
જેથી આ કાયદાકીય બીલનો સમગ્ર પશુપાલક વર્ગને માલધારી સમાજ ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તેમજ જે કાયદો લાવવામાં આવી રહ્યો છે.
તે કાયદો મુલત્વી રાખવામાં આવે અને માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘જે માલધારી સમાજની પડતર માંગણીઓ છે જેવી કે, વાડાઓની વૈકલ્પિક જગ્યા આપવામાં આવે અને દિવસેને દિવસે જે ગૌચર વેચવામાં
આવી ગયા છે તે બંધ કરી ગૌચરની ફાળવણી પશુઓ માટે કરવામાં આવે તેવી માંગણી સાથે બુધવારે ડીસા ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઇ હતી.’
From-Banaskantha update