ડીસામાં ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે અનિયમિત વીજળી મળતાં કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના ખેડૂતોને ખેતીમાં સિંચાઇ માટે અનિયમિત વીજળી મળતાં ખેડૂતોને કૃષિમાં નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

 

 

જેને પગલે સોમવારે ખેડૂતો સાથે ભારતીય કિસાન સંઘ ધરણાં પર બેસી ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી 8 કલાક સુધી થ્રી ફેઝ વીજળી મળી રહે તે અંગે માંગ કરી છે.

 

 

બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોના કલ્યાણ માટે અવાજ ઉઠાવતી ભારતીય કિસાન સંઘ અત્યારે સરકાર સામે આક્રમક જોવા મળી રહી છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી વીજ કંપની દ્વારા અનિયમિત વીજળી આપવામાં આવી રહી છે.

 

 

આ ઉપરાંત ઓછા વોલ્ટેજવાળો વીજ પુરવઠો આપવામાં આવતો હોવાના લીધે ખેડૂતોની મોટરો પણ બળી જતી હોવાની ઘટનાઓ બની રહી છે.

 

અપૂરતી વીજળી મળતી હોવાના લીધે ખેડૂતો સિંચાઇ કરી શકતાં નથી અને તેના લીધે ખેતીમાં પણ વારંવાર નુકશાન સહન કરવું પડી રહ્યું છે.

 

જેને પગલે સોમવારે ખેડૂતો સાથે ભારતીય કિસાન સંઘે ડીસામાં આવેલી 132 કે.વી. સબ સ્ટેશન આગળ ધરણાં યોજી કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરી આ સમસ્યાનું નિવારણ લાવવાની માંગણી કરી છે.

 

જ્યારે સાથે સાથે ચિમકી પણ ઉચ્ચારી છે કે, ‘એક સપ્તાહમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભારતીય કિસાન સંઘ આગામી સમયમાં મોટું આંદોલન છેડશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!