ધાનેરાના બાપલા ગામે આજરોજ સામાન્ય બોલાચાલી સર્જાઈ હતી જેમાં ગામના જ એક શખ્સે એક આધેડની હત્યા કરી દેતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે પાંથાવાડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક ધોરણે હત્યારાને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.
બનાસકાંઠા જિલ્લામાં ક્રાઇમની ઘટનામાં દિનપ્રતિદિન વધારો થયો છે અને એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે હત્યા તેમજ આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આજરોજ ધાનેરાના બાપલા ગામે સામાન્ય બોલાચાલી સર્જાઈ હતી જેમાં ગામના એક શખ્સે એક આધેડની હત્યા કરી દેવામાં આવી હતી.
ગામમાં આધેડની હત્યા થતા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આધેડની હત્યા કરનાર શખ્સ હત્યા કરી ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જાણના પગલે તાત્કાલિક પાંથાવાડા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તજવીજ હાથ ધરાઇ હતી.
From – Banaskantha Update