નવા વાડજમાં આવેલા મોજણી ભવનમાં સર્વેયર તરીકે નોકરી કરતાં જયેશ સોમાભાઇ પટેલે એક ખેડૂતની ખેતીલાયક જમીનમાં માપણી બાદ નવો સર્વે નંબર આવ્યા બાદ 11 ગુંઠા જમીનનું માપ વધી જતાં આ બાબતે સુધારો કરવા માટે રૂ. 1.80 લાખની લાંચની માંગણી કરી હતી.
એક ખેડૂતની ખેતીલાયક જમીન પૈકી જૂનો સર્વે નં. 3-13-63 હેક્ટર ચો.મીટર હતો. આ જમીનની સરકાર દ્વારા વર્ષ-2010 માં માપણી કરાઇ હતી.
ત્યારબાદ તેને નવો સર્વે નંબર ફાળવવામાં આવ્યો હતો. આ સર્વે નંબરમાં શરતચૂકથી 11 ગુંઠા જમીનનું માપ વધી ગયું હતું. જે બાબત ધ્યાનમાં આવતાં ખેડૂતે સર્વે નંબરમાં સુધારો કરવા અરજી કરી હતી.
જે સુધારો કરવા માટે નોંધણી ભવનના સર્વેયરે લાંચની માંગણી કરી હતી. આ અંગે એ.સી.બી.ની ટીમે લાંચનું છટકું ગોઠવી જયેશ પટેલને ખેડૂત પાસેથી રૂ. 1.60 લાખ લાંચ તરીકે માંગી સ્વીકારતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
From-Banaskantha update