પાલનપુર તાલુકાના ફતેપુર ગામ ખાતે ગત મોડી રાત્રે એક આધેડ ખેડૂત ખેતરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્શો ખેતરમાં પ્રવેશ કરી આધેડ ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે પણ એક હત્યાની ઘટના સામે આવી છે.
પાલનપુરના ફતેપુરા ગામ ખાતે એક આધેડ ખેડૂત ગત મોડી રાત્રે પોતાના ખેતરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ખેતરમાં પ્રવેશ કરી આધેડ ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી. હત્યા થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
From – Banaskantha Update