પાલનપુરમાં ખેતરમાં સુઈ રહેલ આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા મારી થઇ હત્યા

- Advertisement -
Share

પાલનપુર તાલુકાના ફતેપુર ગામ ખાતે ગત મોડી રાત્રે એક આધેડ ખેડૂત ખેતરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્શો ખેતરમાં પ્રવેશ કરી આધેડ ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા તેમજ હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગત મોડી રાત્રે પણ એક હત્યાની ઘટના સામે આવી છે.

 

પાલનપુરના ફતેપુરા ગામ ખાતે એક આધેડ ખેડૂત ગત મોડી રાત્રે પોતાના ખેતરમાં સુઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ખેતરમાં પ્રવેશ કરી આધેડ ખેડૂતને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાતકી હત્યા કરી. હત્યા થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!