દિયોદરના રૈયામાં વીજ કરંટ લાગતાં યુવકનું મોત

- Advertisement -
Share

યુવક ઘરે વોશિંગ મશીનનું પ્લગ રીપેર કરતાં આકસ્મિક રીતે વીજ કરંટ લાગ્યો

મૂળ કચ્છ-ભૂજના ખેગારપુર ગામનો આહીર પરિવાર દિયોદર તાલુકાના રૈયા ગામમાં રહે છે. ત્યારે રવિવારે સવારના સમયે આહીર પરિવારનો 2 બહેનો વચ્ચેનો એકનો એક લાડકવાયો દીકરો ઘરે વોશિંગ મશીનનું પ્લગ રીપેર કરતાં આકસ્મિક રીતે વીજ કરંટ લાગતાં મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના રૈયા નવાવાસમાં રહેતાં અને મૂળ કચ્છ-ભૂજના ખેગારપુર ગામના આહીર પરિવાર બોરવેલની રીંગની કામગીરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

 

ત્યારે રવિવારે સવારના સમયે આહીર પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો અમિત રણછોડભાઇ આહીર (ઉં.વ.આ. 18) રૈયા નવાવાસ ગામમાં પોતાના ઘરે વોશિંગ મશીનનું પ્લગ રીપેર કરતાં આકસ્મિક
રીતે વીજ કરંટ આવતાં સારવાર અર્થે દિયોદર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!