વડગામના મેમદપુરના શહીદનો પાર્થિવ દેહ માદરે વતન લવાયો : અંતિમ યાત્રા નીકળતાં ગામ હીબકે ચઢ્યું

- Advertisement -
Share

વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવ દેહને મંગળવારે માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ કાશ્મીર ખાતે માં ભોમની રક્ષા કરતાં કરતાં શહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવ દેહને વતન લવાતાં ગામ હીબકે ચઢ્યું હતું. જ્યાં સમગ્ર ગામ સહીત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જ્યારે મેમદપુર સહીત આજુબાજુના ગામના લોકોએ પાર્થિવ દેહના દર્શન કર્યાં હતા.

 

આ શહીદના પાર્થિવ દેહને માદરે વતન લાવતાં મેમદપુરમાં ગમગીની છવાઇ હતી. વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધી કરાઇ હતી. જ્યારે મેમદપુર સહીત આજુબાજુના ગામના લોકોએ પાર્થિવ દેહના દર્શન કર્યાં હતા.

 

 

આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘જશવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહીત અન્ય બે ભાઇ પણ માં ભોમની રક્ષા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જાડાયેલા છે. આજે અમને દુઃખ સાથે ગર્વ પણ છે કે દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે.’

 

 

આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે, ‘ગામની તમામ જનતા આજે શોકાતુર છે. જવાનના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવાના છે. સમગ્ર ગામ શોકમાં ડૂબ્યુ છે. મંગળવારે સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વિર શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. જે પરિવારથી જશવંતસિંહ શહીદ થયા છે. એમના પપ્પા પણ ફોજમાં હતા અને એમના બે ભાઇઓ પણ ફોજમાં છે. એટલે પરિવાર ત્રણ દીકરા અને પપ્પા આમ ચારે ચાર દેશ માટે સમર્પિત હતા. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઉગતા યુવાન હતા. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.’

From –Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!