દિયોદરના નોખા નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના દિયોદરની નોખા નર્મદા કેનાલમાં સોમવારે અજાણ્યા યુવકની કેનાલમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જયારે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. જયારે તરવૈયાની મદદથી મૃતકની લાશને બહાર કાઢી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આત્મહત્યા અને હત્યાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે સોમવારે વધુ એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના દિયોદરની નોખા નર્મદા કેનાલમાં એક અજાણ્યા યુવકની કેનાલમાં લાશ તરતી જોવા મળી હતી. કેનાલમાંથી યુવકની લાશ મળતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

 

જયારે તાત્કાલીક દિયોદર પોલીસને જાણ કરતાં દિયોદર પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જયારે સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકની લાશને કેનાલમાંથી બહાર નીકાળવામાં આવી હતી.

 

જે બાદ મૃતક યુવકની લાશને પી.એમ. અર્થે દિયોદર રેફરલમાં ખસેડાઈ હતી. જયારે મૃતક યુવક કોણ છે તે ક્યાંથી આવ્યો તે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે અંગે દિયોદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!