કાંકરેજના મંગળપુરામાં સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચરતાં ચકચાર

- Advertisement -
Share

15 વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું

 

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના શિહોરી પંથકમાં એક 15 વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ બાદ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ છે.
આ અંગે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, મહીલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારની ઘટનામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ એક યુવતી પર અત્યાચારની ઘટના સામે આવી છે.

 

કાંકરેજ તાલુકાના મંગળપુરામાં એક 15 વર્ષિય સગીરાને વડા ગામના ઇશ્વર ઠાકોર નામના શખ્સે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું.
ત્યારબાદ સગીરા સાથે દુષ્કર્મ આચરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ અંગે સગીરાના પરિવારજનોએ શિહોરી પોલીસ મથકે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!