આર્મીની વિવિધ પોસ્ટમાં ફરજ બજાવતા માલધારી સમાજના જવાનોનું માલધારી સૈનિક પરિવાર ગ્રુપ દ્વારા જવાનોને આર્થિક રૂપે મદદરૂપ થઈ એક પરિવારની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
ત્યારે થોડાક દિવસ અગાઉ સિકરીયા તાલુકો દાંતીવાડાના દેવરાજભાઈ ખોડાભાઇ રબારીનું ચાલુ ફરજ દરમિયાન આકસ્મિક તબિયત લથડતાં વિરગતિ પામ્યાં હતાં. ત્યારે ગતરોજ માલધારી સૈનિક પરિવારના ગ્રુપ દ્વારા તેઓના ઘરે સૈનિક પરિવારમાંથી કેટલાક જવાનો ઉપસ્થિત રહી તેમના દીકરા દીકરીને ભવિષ્યમાં આર્થિક મદદરૂપ થઈ શકે તે માટે રૂ 1.21 લાખની રોકડ રકમ અર્પણ કરી હતી.
આ પ્રસંગે વિહોતર ગ્રુપ ગુજરાતના અધ્યક્ષ જીવરાજભાઇ આલ સહિત માલધારી સૈનિક પરિવારમાંથી રબારી પોચાભાઈ એસ.એસ.બી પાલનપુર, દેસાઈ વિશાલ ભાઈ સીઆઈએસએફ, દેસાઈ શેલેષ ભાઈ આગથળા આર્મી, આલ મોતીભાઈ સી.આર.પી.એફ. મોટા, દેસાઈ રમેશભાઈ એક્સ મેન પાલનપુર, રબારી રુદ્ર ભાઈ આર્મી પાલનપુર, નવીનભાઇ દેસાઈ બીએસએફ, રૂડાભાઇ દેસાઇ મોરીખા આર્મી વગેરે હાજર રહી વીરગતિ પામેલા દેવરાજભાઈના પરિવારને આર્થિક રૂપે મદદ કરતા રૂ.1.21 લાખ અર્પણ કરી અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અંગે આર્મીમાં ફરજ બજાવતા પાંચાભાઇ દેસાઈએ કહ્યું હતું કે, માલધારી સૈનિક પરિવાર દ્વારા અત્યાર સુધી માલધારી સમાજના ચાર જવાનો વીરગતિ પામ્યા છે તેઓને આ રીતે આર્થિક રૂપે મદદરૂપ થયા છે આ ઉપરાંત નાણીમાં એરફોર્સમાં રહેલી ગાયો માટે પણ એક વખત માલધારી સૈનિક પરિવાર દ્વારા ઘાસચારાનું દાન કર્યું હતું.
From – Banaskantha Update