હત્યારાઓએ યુવકની લાશને ગામના હનુમાનજીના મંદિર નજીક ફેંકી ત્યાંથી ફરાર થઇ ગયા
ડીસાના રાણપુર વચલાવાસ ગામના આશાસ્પદ યુવકને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં શનિવારે વધુ એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના રાણપુર વચલાવાસ ગામમાં રહેતાં આશાસ્પદ યુવક પોપટજી ઠાકોરની કોઇ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી પેટમાંથી આંતરડા બહાર કાઢ્યા હતા.
આ યુવકને અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં રાણપુર વચલાવાસના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું.
જે બાદ હત્યારાઓએ યુવકની લાશને ગામના હનુમાનજીના મંદિર નજીક ફેંકી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જે બાદ યુવકની હત્યા થઇ હોય તેવું ગ્રામજનોને ધ્યાને આવતાં ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
જયારે તાત્કાલીક ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. જે બાદ પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા ડીસા તાલુકા પોલીસે તજવીજ હાથ ધરી છે.
From-Banaskantha update