અમીરગઢના ઇકબાલગઢ હાઇવે પર ગુરૂવારે રાત્રિ દરમિયાન એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં આગળની સાઇડમાં બેઠેલાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જો કે, બસમાં સવાર 20 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરૂવારે રાત્રિ દરમિયાન અમીરગઢ-ઇકબાલગઢ નેશનલ હાઇવે પર એક ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવી રહેલી ખાનગી બસ ટ્રક પાછળ ઘૂસી ગઇ હતી.
જેથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને 108 વાનની મદદથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અકસ્માતમાં 20 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update