કાણોદર ગામની નર્સ મહિલાને સાસરિયા પક્ષ દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપતા મહિલાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા મહિલાના પિતાએ જમાઈ, સાસુ, અને બે નણંદ સામે દુસ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.
પાલનપુર તાલુકાના કાણોદર ગામની જાગૃતિબેનના લગ્ન આઠ વર્ષ અગાઉ પાલનપુર સોનબાગ વિસ્તારમાં કરાયા હતા. જાગૃતિબેન ડીસા સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની ફરજ બજાવતા હતા જ્યાં મહિલાના પતિને બીજી મહિલા સાથે સબંધ હોવાથી જાગૃતિબેન તેના પિતાને જાણ કરીને કહ્યું હતું.
ત્યારે પિતાએ સાસરિયા પક્ષને સમજાવાની વાત કરતા જાગૃતિબેનએ તેના પતિને કહેલ કે તમારે જે બીજી છોકરીથી સબંધ છે તે મૂકી દો ભગવાને આપણને એક દીકરો આપ્યો છે અને મારામાં શું વાંધો છે તેવું કહેતા જાગૃતિબેનના પતિ ઉશ્કેરાઈ જઈ કહેવા લાગેલ કે તારે મરવું હોય તો મરી જાજે હું લફરું મુકવાનો નથી.
ત્યારબાદ જાગૃતિબેનના પરિવારે સાસરિયા પક્ષને સમજાવ્યા હતા ત્યારબાદ મહિલાને અવારનવાર માનસિક ત્રાસ, મારકુટ અને તું આજે મને જોઈતી નથી તેમ કહી જમાઈ, સાસુ અને બે નણંદો કહેવા લાગેલ કે મારો ભાઈ જે છોકરીથી લફરું છે એ તારે જોવાનું નથી તારે મરવું હોય તો મારી જા મારા ભાઈને બીજી ઘણી મળી રહેશે ત્યારબાદ મહિલાના પિયર પક્ષએ સાસરી પક્ષમાં જઈને સમાધાન કરાવ્યું હતું.
ત્યારબાદ જમાઈ, સાસુ અને નણંદ મહેણાં ટોણા મારી મહિલાને મરવા માટે મજબૂર કરતા શુક્રવારે બપોરે મહિલાએ આપઘાત કરતા મહિલાના પિતાએ જમાઈ નિકેશકુમાર જેઠાભાઈ સેભરા, સાસુ મણીબેન જેઠાભાઇ સેભરા, નણંદ નિતાબેન જેઠાભાઇ અને વર્ષાબેન જેઠાભાઇ સામે દુસ્પેરણનો ગુનો નોંધાવ્યો હતો.
From – Banaskantha Update