વાવના કારેલી-ગામડી અને આકોલી ગામમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું : ખેતરોમાં હજારો લીટર પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળતાં નુકશાન

- Advertisement -
Share

 

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. વાવના કારેલી-ગામડી ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં સોમવારે ગાબડું પડતાં હજારો લીટર પાણી વેડફાયુ હતું.

 

 

જ્યારે આકોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી કારેલી માઇનોરમાં પણ ગાબડું પડયું હતું. ગાબડાં પડવાથી હજારો લીટર પાણી ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

 

 

બનાસકાંઠા જીલ્લાના નર્મદાની મુખ્ય કેનાલમાંથી માઇનોર કેનાલો દ્વારા સરહદી વિસ્તારના અનેક ગામડાઓમાં ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું છે.

 

જો કે, વારંવાર તૂટતી કેનાલોને લઇ ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. કેનાલો તૂટતાં હજારો લીટર પાણી વેડફાઇ જાય છે. વેડફાતી પાણી ખેડૂતોના ખેતરોમાં જતાં ઉભા પાકોને ઘણીવાર નુકશાન થાય છે.

 

આકોલી બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી માઇનોરમાં ગાબડું પડયું હતું. ત્યારે આ ગાબડાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. વધારે પડતું પાણી છોડવાથી આ ગાબડું પડયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!