રાજસ્થાનમાં સર્જાયો ભયંકર અકસ્માત : દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા 11 લોકોનાં મોત

Share

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો.

[google_ad]

આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 8 મહિલા અને 3 પુરુષો છે.

[google_ad]

એવું કહેવામાં આવી રહ્યું છે કે 12 સીટર જીપ (તૂફાન)માં 18 લોકો સવાર હતા. આ બધા જ લોકો રામદેવરામાં દર્શન બાદ દેશનોક કરણી માતાનાં દર્શન કરીને મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. આ દરમિયાન નાગૌરથી નોખા તરફ જઈ રહેલું ટ્રેલર જીપ સાથે ટકરાયું હતું.

[google_ad]

કહેવામાં આવી રહ્યું છે કે સામેથી આવતા ટ્રેલરે જીપને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં.

[google_ad]

અકસ્માતમાં ઘણા લોકોના મૃતદેહ જીપમાં જ ફસાયેલા રહ્યા હતા. અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share